Friday 20 April 2018

પ્રશ્ન ?

મનખો અવતાર કેમ મળ્યો તને?
આવો શું પ્રશ્ન ક્યારેય થયો તને?

સફરતા નિષ્ફળતા અને આ ભાગદૌડ,
એનો શું અંત ક્યાંય જડ્યો તને?               

માર્ગ તો ઘણા મળશે ને ઘણા સાથી પણ,
મનને ટાઢક આપે એ સાથ જડ્યો તને? 

રહીયે ભલેને બહુ વ્યસ્ત તું ને હું પણ,
જુની વાતોનો પડઘો કાને પડ્યો તને?

તું શીવ છે સુંદર છે ને મનનો રાજા છે,
આવો અભિપ્રાય બીજે શું મળ્યો તને?

    ~ મહેશ ચૌધરી “રાહી”

No comments:

Post a Comment

મુક્તક

1.  ​ પૂછ્યો પ્રષ્ન “રાહીએ” કે, અહિં મારુ કોણ છે? જવાબ ચહ્યો’તો જ્યાં જ્યાંથી,  એ સવ કોઈ આજે મૌન છે.   ~ મહેશ ચૌધરી, "રાહી...